કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલન અને મૂલ્યવર્ધન અંગે ખેડૂત શિબિર યોજાઇ

Listen to this article

નવસારીઃ  ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે તથા સંશોધન કરવામાં આવેલ નવીનતમ ટેકનોલોજી ઝડપથી ખેડૂતો સુધી પહોંચે તે માટે ભારત સરકાર કટીબધ્ધ છે. ખેડૂતોને માહિતગાર કરવાના ભાગીરથ કાર્ય માટે સરકાર દ્વારા દરેક જીલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરેલી છે. જેના ભાગરૂપે નવસારી જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતીથી માહિતગાર કરવા ટેકનોલોજી વીક ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને નવસારીના ખેડૂત આલમમાં વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલન અને મત્સ્ય મૂલ્યવર્ધન થકી વધુ આવક મેળવી શકાય તે હેતુથી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેવિકેના વૈજ્ઞાનિક ડો.સુમિત સાળુંકેએ શિબિરનું મહત્વ અને કેવિકેની ખેડૂતલક્ષી પ્રવૃતિઓ વ્શિ માહિતગાર કર્યા હતાં. આ શિબિરના અધ્યક્ષસ્થાનેથી કામધેનુ યુનિવર્સિટી, નવસારીના મત્સ્યપાલનના આચાર્યશ્રી ર્ડા.આર.વી.બોરીચાંગરે દક્ષિણ ગુજરાત મત્સ્યપાલનથી શકયતાઓ, તેમાં આવતી સમસ્યાઓ અને વધુ ઉત્પાદન  અને મૂલ્યવૃધ્ધિથી વધુ આવક મેળવવા ખેડૂતોને સવિસ્તૃત માહિતી આપી હતી. ખેડૂતોને તેમના બાળકોને મત્સ્યપાલન, પશુપાલન કે ખેતીવાડી કોલેજમાં અભ્યાસ કરાવી ઉજજવળ કારર્કિદી બનાવવા માટે આહવાન કર્યુ હતું.

 મદદનીશ પ્રાધ્યાપક ર્ડા.પી.પી.પટેલે મત્સ્યપાલનમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો અભિગમ કેળવવા માછલીની વિવિધ જાતો પ્રમાણ, તેમાં ખાતર વ્યવસ્થાપન, કેરજ ફીશ ફાર્મીંગ વગેરે વિશે વિસ્તૃત છણાવટ કરતાં તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત પ્રોડકટ બનાવીને વધુ આવક મેળવવા પર ભાર મૂકયો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close