જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકા કક્ષાના મિલેટ મેળો યોજાયો

Listen to this article

તાપી : તા.૨૬:લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.   

જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જન જાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જિલ્લા ખેતીવાડી કચેરીના ઉપક્રમે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રિસર્ચ કુષિ વૈજ્ઞાનિકશ્રી દ્વારા પ્રાકૃતિક અને અદ્યતન કૃષિ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ મિલેટ્સનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મિલેટ ધાન્ય પાકો વિવિધ મિનરલથી ભરપૂર હોય છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

વધુમાં ઉમેર્યુ હતુ કે આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય પાકો લુપ્ત થતાં જાય છે જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે આ મિલેટ મેળાઓ યોજવામાં આવે છે જેનો આપણે લાભ લેવો જોઇએ.

કાર્યક્રમમાં મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણે પરંપરાગત પધ્ધતીથી કરતા આવ્યા છીએ પરંતુ હવે આપણે યોગ્ય સ્ટ્રેટજીથી ખેત પધ્ધતી કરી વધુ ઉત્પાદન અન પોષકક્ષમ ભાવો મેળવવું જરૂરી છે.
ડો.અર્પીત ઢોડિયા દ્વારા મિલેટસ પાકોમાં મુલ્ય વર્ધ્ન અને તેના બજાર મુલ્ય અંગે ખેડૂત મિત્રોને એક્સપર્ટ લેક્ચર આપ્યો હતો. તેમજ  ડો.જાદવે પાક સંરક્ષણ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે ખેતીવાડી અધિકારી  ચેતન ગરાસિયાએ સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી. તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્મામિત કરાયા હતા. આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

   કૃષિ મેળામાં ધારાસભ્ય ડૉ.જયરામ ગામિત, તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો,ખેતીવાડી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close