ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સરહદીય નિંબારપાડા ગામે દેશભક્તિનાં થીમ પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

Listen to this article

ડાંગ : ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સરહદીય નિંબારપાડા ગામે ડાંગ જિલ્લાનાં ભાજપાનાં આગેવાન અને જિલ્લા પંચાયતનાં બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીતનાં નેજા હેઠળ ચાલુ વર્ષે દેશભક્તિના થીમ પર નવરાત્રીનું આયોજન કરવામાં કરવામાં આવતા ડાંગી ખેલૈયાઓ પાવરીનાં તાલે ઝૂમ્યા હતા.અને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.સમગ્ર દેશમાં યોજાઈ રહેલા કાર્યક્રમ “મેરી મિટ્ટી મેરા દેશ”અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નિંબારપાડા ગામે દેશભક્તિના થીમ પર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ.તેમજ ડાંગ જિલ્લાના આદિવાસીઓની સંસ્કૃતિને પણ બચાવવાનો અનેરો પ્રયાસ ગામના સ્થાનિકો તથા ભાજપાનાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.અહી નવરાત્રીમાં આદિવાસીઓના પરંપરાગત મનોરંજનના સાધનો દ્વારા આદિવાસીના લુપ્ત થતા વાજિંત્રો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે.દરરોજ અલગ અલગ વાજિંત્રો સાથે ગરબે ઝૂમતા ખેલૈયાઓમાં રમઝટ જોવા મળી રહી છે.પાવરી, કહાળીયા, અને થાળી જેવા આદિવાસીઓના પરંપરાગત મનોરંજનના સાધનો પર આ યુવા પેઢી મોરની જેમ’ થનગનાટ કરતી ગરબે ઝુમતી જોવા મળી રહી છે. જેનાથી એક અલગ જ ભક્તિમય વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે.આદિવાસી સમાજની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા માટે પ્રથમ વખત ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં અંતરીયાળ અને સરહદીય વિસ્તારમાં આવેલ નિંબારપાડા ગામ ખાતે નવતર પ્રયાસ કરવામાં આવતા આ નવતર અભિગમને વધાવી લેવામાં આવ્યો છે..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close